Showing posts with label Swami vivekanand. Show all posts
Showing posts with label Swami vivekanand. Show all posts

સમાધિનું ગીત : સ્વામી વિવેકાનંદ


નહીં સૂર્ય, નહીં જ્યોતિ,નહિ શશાંક સુંદર;
ભાસે વ્યોમે છાયા સમ,છબી વિશ્વ ચરાચર ……. નહિ સૂર્ય

અસ્ફુટ મન – આકાશે,જગત – સંસાર ભાસે,
ઊઠે, ભાસે, ડૂબે પુનઃ, ‘અહં’ સ્ત્રોતે નિરંતર …… નહિ સૂર્ય

ધીરે ધીરે છાયા દળ,મહાલયે પ્રવેશિયું;
વહે માત્ર ‘અહં’ ‘અહં’,એ જ ધારા ક્ષણે ક્ષણ ….. નહિ સૂર્ય

એ ધારાયે બંધ થઇ,શૂન્યે શૂન્યે મળી ગઇ;
અવાડ્મનસોગોચરમ ,થાય પ્રાણ માંહે જાણ ….. નહિ સૂર્ય

- સ્વામી વિવેકાનંદ
અનુવાદક (?)

“ઊઠો ,જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જંપો નહિં.” – સ્વામી વિવેકાનંદ – એ યુગપુરુષે ભારતની પ્રતિભાને વિશ્વભરમાં ગૌરવન્વિત કરેલી અને આજે તેમનો જન્મદિન યુવાદિન તરીકે પણ ઉજવાય છે. ધર્મ અને વિજ્ઞાન એ સમાજનાં અભિન્ન અંગ છે,અને આપણી વૈદિક સંસ્કૃતિ તો ધર્મ અને વિજ્ઞાનના સાયુજ્ય પર જ ઊભેલી છે. આથી જ આ વૈદિક ગુરૂએ જમશેદજી તાતા સાથે સ્ટીમરમાં બેઠાં બેઠાં ધર્મ વિશે નહીં પરંતુ ધંધાની વાત કરી અને તાતાનો સ્ટીલ પ્લાન્ટ તેનું જ પરિણામ….!!

તેમણે બંગાળી અને સંસ્કૃતમાં પુસ્તકો પણ લખેલાં તેમાંથી જ એક સમાધિનું ગીત જેમાં સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય તેના પ્રથમ ચરણથી અંતિમ ચરણ સુધીની અવસ્થાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.

સફળતા – સ્વામી વિવેકાનંદ


કોઈ પણ જીવન કદાપિ નિષ્ફળ હોઈ શકે નહીં. સંસારમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. ભલે સેંકડો વાર મનુષ્ય પોતાને હાનિ પહોંચાડે, ભલે હજરો વાર એ ઠોકર ખાય, પણ આખરે તેને અનુભૂતિ થવાની જ છે કે હું સ્વયં ઈશ્વરરૂપ છું.

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે : ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’ આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે ધ્યેયને પામી શકશો.