સમાધિનું ગીત : સ્વામી વિવેકાનંદ
નહીં સૂર્ય, નહીં જ્યોતિ,નહિ શશાંક સુંદર;
ભાસે વ્યોમે છાયા સમ,છબી વિશ્વ ચરાચર ……. નહિ સૂર્ય
અસ્ફુટ મન – આકાશે,જગત – સંસાર ભાસે,
ઊઠે, ભાસે, ડૂબે પુનઃ, ‘અહં’ સ્ત્રોતે નિરંતર …… નહિ સૂર્ય
ધીરે ધીરે છાયા દળ,મહાલયે પ્રવેશિયું;
વહે માત્ર ‘અહં’ ‘અહં’,એ જ ધારા ક્ષણે ક્ષણ ….. નહિ સૂર્ય
એ ધારાયે બંધ થઇ,શૂન્યે શૂન્યે મળી ગઇ;
અવાડ્મનસોગોચરમ ,થાય પ્રાણ માંહે જાણ ….. નહિ સૂર્ય
- સ્વામી વિવેકાનંદ
અનુવાદક (?)
“ઊઠો ,જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જંપો નહિં.” – સ્વામી વિવેકાનંદ – એ યુગપુરુષે ભારતની પ્રતિભાને વિશ્વભરમાં ગૌરવન્વિત કરેલી અને આજે તેમનો જન્મદિન યુવાદિન તરીકે પણ ઉજવાય છે. ધર્મ અને વિજ્ઞાન એ સમાજનાં અભિન્ન અંગ છે,અને આપણી વૈદિક સંસ્કૃતિ તો ધર્મ અને વિજ્ઞાનના સાયુજ્ય પર જ ઊભેલી છે. આથી જ આ વૈદિક ગુરૂએ જમશેદજી તાતા સાથે સ્ટીમરમાં બેઠાં બેઠાં ધર્મ વિશે નહીં પરંતુ ધંધાની વાત કરી અને તાતાનો સ્ટીલ પ્લાન્ટ તેનું જ પરિણામ….!!
તેમણે બંગાળી અને સંસ્કૃતમાં પુસ્તકો પણ લખેલાં તેમાંથી જ એક સમાધિનું ગીત જેમાં સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય તેના પ્રથમ ચરણથી અંતિમ ચરણ સુધીની અવસ્થાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.